Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

તળાજાના કેરાળા ગામના યુવકને સાથી શિક્ષકોએ મૂંઢ માર માર્યો

તાપી જિલ્લામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા

ભાવનગર તા. ૧૦: તળાજા તાલુકાના કેરાળા ગામના વતની અને હાલ તાપી જિલ્લાના સોનગઢ ખાતેની શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા યુવક પર શાળાના શિક્ષકો એજ રૂમમાં પુરી મૂંઢ માર માર્યાની ત્રણ ઇસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. આચાર્ય પોતાનો જીવ જોખમમાં હોવાનું લાગતા શાળા છોડી વતનમાં પરત ફરી રહ્યા છે.

એચ. ટાટ પાસ કરીને સોનગલઢના લીંબી વિસ્તારની ધો. ૧ થી ૮ ની પ્રા. શાળામાં આચાર્ય તરીકે છેલ્લા બે વર્ષથી ફરજ બજાવતા કેરાળા ગામના માવજીભાઇ રામજીભાઇ બાંભણીયા ઉપર તેની જ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ત્રણ શિક્ષકો પ્રદીપ હસમુખભાઇ ગજજર, નારાયણ બાબરિયા ભાઇ ગાભીત, બળવંત નટવરભાઇ ચાવડા એ એક સંપ કરી મૂંઢ માર મારેલ હોવાની ફરિયાદ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાવી હોવાનું જણાવી ઉમેર્યું હતું કે પોતાના જીવને જોખમ છે. આ હુમલો શિક્ષકને સમયસર આવવા માટે આપેલ સૂચનાને લઇ કરવામાં આવેલ હતો. પોતાના પર થયેલ હુમલા બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરી હોવાનું જણાવ્યું હતું.

(12:14 pm IST)