Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

કાલાવડ નગરપાલીકાના કર્મચારીઓ આઠ માસથી પાંચમા પગાર પંચથી વંચીત !!

હવે થાકી હારીને ૧૨મીએ ધરણા કરી આવેદનપત્ર પાઠવવા નિર્ણય

કાલાવડ તા.૧૦ : કાલાવડ નગરપાલીકાના કર્મચારીઓને સરકારશ્રી દ્વારા પાંચમો પગાર પંચ મુજબ પગાર ચુકવવા ચિફ ઓફીસરના પ્રમુખે સુચના કરી હોવા છતા એકાઉન્ટન્ટ દ્વારા છેલ્લા ૮ માસથી પગાર ચુકવતા નથી અને પોતાની મનમાની ચલાવી કર્મચારીઓને હેરાન પરેશાન કરી રહ્યાનુ કર્મચારીઓમા ચર્ચાઇ રહ્યુ છે.

કર્મચારીઓ દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરતા અધિકારી વર્ગ તરફથી પણ પાંચમો પગાર પંચ મુજબ પગાર ચુકવવા સબંધીત કર્મચારીને સુચના કરવામાં આવેલ હોવા છતા એકાઉન્ટન્ટ દ્વારા પગાર નહી ચુકવાતા નાછુટકે તા. ૧૨ના રોજ કર્મચારીઓ દ્વારા ધરણા યોજી આવેદનપત્ર પાઠવશે.

ત્યારબાદ ભવિષ્યમાં આંદોલનનો માર્ગ અપનાવશે તેમ કર્મચારીના અગ્રણી વિનુભાઇ કપુરીયાએ જણાવેલ છે.

(12:12 pm IST)