Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

નાગપુરમાં ભાગવત્ કથાઃ વ્યાસપીઠ પર મોરબીવાળા બિપીનભાઈ વ્યાસ

રાજકોટ, તા. ૧૦ :. મહારાષ્ટ્રના નાગપુર ખાતે વૈષ્ણવ મિત્ર પરિવાર દ્વારા તા. ૧૨થી ૧૮ ફેબ્રુઆરી સુધી શ્રી મદનમોહનજી મંદિર હવેલી, ન્યુ ઈતવારી રોડ, પંડિત વચ્છરાજ વ્યાસ ચોકમાં શ્રીમદ્દ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયેલ છે. વ્યાસાસને મોરબીના સુપ્રસિદ્ધ કથાકાર શ્રી બિપીનભાઈ વ્યાસ (મો.૯૯૦૯૫ ૪૧૧૮૭) બિરાજી સંગીતમય શૈલીમાં કથા શ્રવણ કરાવશે. કથાનો સમય દરરોજ બપોરે ૩ થી સાંજે ૭ વાગ્યા સુધીનો રહેશે. આયોજન માટે મુખ્યાજી વ્રજેશજી વ્યાસ (મો. ૯૩૨૫૫ ૫૧૯૪૬) વિભોર કશ્યપ, રાજેષ ધોળકિયા, મનોજ સોની, બકુલભાઈ શ્રીમાંકર વગેરે કાર્યરત છે.

(12:01 pm IST)