Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

રામમંદિર ટ્રસ્ટની રચનાને આવકારતા પ્રદેશ મહિલા કોંગ્રેસના ઉષાબેન કુસકીયા

 સુત્રાપાડા તા. ૧૦ : લાંબા સમયના વિવાદના અંતથી અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ થઇ આવતા અને આ અંગેની નકકર કામગીરી અર્થે રામમંદિર ટ્રસ્ટની રચના કરવામાં આવતા આ જાહેરાતને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ અગ્રણી ઉષાબેન કુસકીયાએ આવકારેલ છે.

આ તકે ઉષાબેન કુસકીયાએ વધુમાં જણાવેલ કે સુપ્રીમ કોર્ટના મહત્વના ચુકાદા મુજબ ત્રણ મહિનામાં મંદિર નિર્માણ અને તેના સંચાલન માટે ટ્રસ્ટ બનાવવાનો આદેશ બાદ આખરે રામ મંદિર ટ્રસ્ટની રચના થતા હવે ટુંક સમયમાં જ મંદિરનો શિલાન્યાસ શકય બનેલ છે. ત્યારે કરોડો લોકોની શ્રધ્ધા અને આસ્થા સાથે જોડાયેલ રામમંદિરનું સપનુ સાકાર થયાનો આનંદ સાથે ગૌરવની લાગણી અનુભવુ છુ. એમ અંતમાં જણાવેલ છે

(11:49 am IST)