Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીને ચાંદીની ખંડપાટની સેવા અર્પણ

૪૧ કિલો ચાંદીની ખંડપાટ અર્પણ કરતો અમદાવાદનો પરીખ પરિવાર

દ્વારકા તા. ૧૦ : દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીના ચરણમાં શયન સયમે નિત્ય ખંડપાટ રાખવામાં આવે છે.

જગત મંદિરમાં શ્રદ્ધાં અનુસાર દર વર્ષે હજારો-લાખો ભકતો દ્વારા ફુલ નહિં તો ફુલની પાંખડી સમાન ભેટ-દાન અર્પણ કરી ધન્યતા અનુભવતો હોય છે.

દ્વારકાધીશ જગતમંદિરમાં અમદાવાદના સ્વ.મહેન્દ્રભાઇ ચીમનભાઇ પરીખ પરીવાર દ્વારા ૪૧ કિલો ચાંદીની બનેલો લગભગ સાડા પાંચથી છ લાખ રૂપિયાની કિંમતનો કલાત્મક ખંડપાટ તેમજ ઠાકોરજીને રમવા માટેની ચોપાટનું દાન ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.

આ અવસરે તેમની સાથે તેમના તીર્થગોર ભૌમિકભાઇ સુરેશભાઇ પાઢ સમગ્ર સેવા અર્પણની ધાર્મિક વિવિધ દરમ્યાન સાથે ઉપસ્થિત રહ્યા હતા.(૬.૪)

 

(10:06 am IST)