Gujarati News

Gujarati News

News of Tuesday, 9th November 2021

મોરબીમાં નિવૃત જીઈબી કર્મચારી જયંતિભાઈ મકવાણાના પુત્ર મેહુલભાઈનું અવસાન થતા તેમણી બન્ને પુત્રીઓએ અર્થીને કાંધ આપીને પુત્રધર્મ નિભાવ્યો

સમાજ માટે પ્રેરણાાદાયી ઉદારણ પુરૂ પાડયુ

મોરબી,તા.૮: મોરબીમાં નિવૃત જી.ઈ.બી. કર્મચારીના પુત્રનું અવસાન થયું હોય ત્યારે તેની બે દીકરીઓએ પિતાની અર્થીને કાંધ આપી પુત્રધર્મ નિભાવ્યો હતો અને સમાજને પ્રેરણાદાયી ઉદારણ પુરૃં પાડયું હતું.

મોરબીમાં રહેતા નિવૃત જી.ઈ.બી. કર્મચારી જયંતીભાઈ કાળાભાઈ મકવાણાના પુત્ર મેહુલ મકવાણાનું ગત તા.૬ના રોજ અવસાન થયું હતું. ત્યારે મેહુલભાઈની બે દીકરીઓ સાલ્વીબેન અને અક્ષિતાબેને પિતાની અર્થીને કાંધ આપીને પુત્રધર્મ નિભાવ્યો હતો. સ્વ.મેહુલભાઈ મકવાણાનું બેસણું આજરોજ તા.૮ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે નિવાસસ્થાને ગોપાલ સોસાયટી, પૂજા પાનવાળી શેરી, મોરબી ૨ ખાતે રાખેલ છે.

(11:56 am IST)