Gujarati News

Gujarati News

News of Tuesday, 9th November 2021

એલ.કે.અડવાણીના જન્મદિને શ્રી સોમનાથ મહાદેવની મહાપૂજા

વેરાવળ-પ્રભાસપાટણઃ શ્રી સોમનાથ મંદિર ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી એલ.કે.અડવાણીના ૯૪માં જન્મદિવસ નિમીત્તે આયુષ્ય મંત્ર જાપ-મહાપૂજા તેમના પ્રતીનીધિ સ્વરૂપે જનરલ મેનેજરશ્રી દ્વારા કરવામાં આવેલ. તેમજ અડવાણીના નિરામય દિર્ઘાયુષ્ય માટે આયુષ્ય મંત્ર જાપ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કરવામાં આવેલ. સાંજે ભગવાન સોમનાથને સાયં વિશેષ શૃંગાર સાથે દિપમાલા કરવામાં આવી હતી. ગુજરાત રાજયના રાજયમંત્રી ગજેન્દ્રસિંહ પરમાર મંત્રી બન્યા બાદ પ્રથમ વખત સોમનાથ મહાદેવના દર્શન, અભિષેક, તથા પુજા સામગ્રી અર્પણ કરી ધન્ય બન્યા હતા. આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્મૃતિભેટ આપી તેઓનું સ્વાગત સન્માન કરવામાં આવેલ હતું.(તસ્વીર-અહેવાલઃ દિપક કક્કડ-દેવાભાઇ રાઠોડ-વેરાવળઃ પ્રભાસપાટણ)

(10:28 am IST)