Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

મૃતકની બંને કિડની અને લિવરનું દાન કરી ૩ને નવજીવન આપ્યું

અકસ્માતમાં મૃત્યુ પામેલ ભાગ્યવિજયના પરિવારજનોનું પ્રેરક પગલું

જૂનાગઢ તા. ૯ : હાલ શ્રાદ્ઘના દિવસો ચાલે છે. દિવંગત પરિવારજનોના આત્માની શાંતિ માટે, તેનું શ્રાદ્ઘ કરી તર્પણ કરવામાં આવે છે. આવો જ એક હૃદયસ્પર્શી અને પ્રેરક કિસ્સામાં, વાહન અકસ્માતમાં કોમામા સરી. જઇ મૃત્યુ પામનાર, વિપ્ર ભાગ્યવિજયભાઈ હિંમતભાઈ દવે ઉ.વ.૬૨ ની બન્ને કિડની અને લીવરનું, તેના પત્નિ રીટાબેન અને પુત્રો, નિરવ તેમજ ધવલની સહમતીથી દાન કરીને ત્રણ વ્યકિતઓને નવજીવન આપીને સાચા અર્થમાં તર્પણ કરી, સમાજને નવો રાહ ચીંધ્યો છે. અકસ્માત બાદ કોમામાં સરી ગયેલા ભાગ્યવિજય ભાઈને તબીબોએ બ્રેઇનડેડ જાહેર કરી દીધા ત્યારે, તેમના પરિવારજનોએ, ઉપરોકત અંગોનું દાન કરવાનો સંકલ્પ કર્યો.તેમજ તેને પાર પાડ્યો. આમ ભાગ્યવિજયભાઈ સાચા અર્થમાં મૃત્યુંજય બની રહ્યા.તેમનું ભાગ્ય તેમને સાજા ન કરી શકયું.પરંતુ ત્રણ વ્યકિતઓને નવજીવન આપી, તેઓનું ભાગ્ય પલટાવીનેઙ્ગ વિજયી બનીને સાચા અર્થમાં તેમનું નામ સાર્થક કર્યું.

(2:08 pm IST)