Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

જુનાગઢ રસ્તો પહોળો કરવાની ખાત્રી અપાતા વિઠ્ઠલબાપુએ પારણા કર્યા

કોમી એકતાના પ્રતિક સમા ઉપલાદાતારની જગ્યાના મહંત પુ.વિઠ્ઠલબાપુએ નિચલા દાતારથી વિલિગ્ડન ડેમ ઉપલા દાતારની સીડી સુધી રસ્તો પહોળો કરવાની તંત્ર સમક્ષ છેલ્લા આઠમાસથી રજુઆત કરવામાં આવતી હતી. પરંતુ તે અંગે યોગ્ય નિરાકરણ ન આવતા ઉપલા દાતારના ર૦૦ પગથીયા પર સેવકગણ સાથે પુ. વિઠ્ઠલબાપુએ પ્રતિક ઉપવાસ શરૂ કર્યા હતા. દરમ્યાન જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી એસ.પી.સૌરભસિંઘ સહિતના અધિકારીઓ ઉપવાસી છાવણીએ દોડી ગયા હતા. અને બાપુને અઠવાડીયામાં યોગ્ય કરવાની ખાત્રી લીંબુ સરબત પિવડાવી કલેકટરશ્રી સૌરભ પારધીએ પારણા કરાવ્યા હતા. ઉપરોકત તસ્વીરમાં વિઠ્ઠલબાપુને પારણા કરાવતા કલેકટરશ્રીસાથે સૌરભસિંઘ અને વિહિપના આગેવાનો સેવકો નજરે પડે છ.ે(અહેવાલ વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા)

(2:08 pm IST)