Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

અણીયારામાં ઇલાબેન કોળીને પાંચ જણાએ ધોલધપાટ કરી

પતિએ લીધેલુ બાઇક પાછુ લઇ જવા મામલે મનસુખ, સાગર, ભરત, મંજુ અને કૈલાસબેન તૂટી પડયા

રાજકોટ તા. ૯: સરધારના અણીયારા ગામે રહેતાં ઇલાબેન અનિલ મોરવાડીયા (ઉ.૨૨) નામના કોળી પરિણીતાને મનસુખ મોહન મોરવાડીયા, સાગર ધીરૂ મોરવાડીયા, ભરત ધીરૂ મોરવાડીયા અને મંજુ મનસુખ તેમજ કૈલાસબેન ભરતભાઇએ ઝઘડો કરી ઢીકા-પાટુનો માર મારી તેમજ મનસુખે વાંસા અને કમરમાં લોખંડનો પાઇપ ફટકારી ઇજા કરતાં સારવાર લેવી પડી હતી.

આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ જી. એન. વાઘેલાએ ઇલાબેનની ફરિયાદ પરથી પાંચેય સામે ગુનો નોંધ્‍યો છે. તેણીના પતિ અનિલે ભરત મોરવાડીયા પાસેથી બાઇક લીધુ હોઇ તે પરત લઇ જવા બાબતે માથાકુટ થતાં આ હમુલો કરાયાનું ફરિયાદમાં જણાવાયું છે.

(11:33 am IST)