Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

ધોરાજીના જમનાવડ રોડ સહિતના વિસ્‍તારોમાં નવા બનાવેલ રોડમાં ખાડાઓઃ ઉચ્‍ચકક્ષાએ રજૂઆત

ધોરાજી તા.૯: રોડ રસ્‍તાને લઇને આંદોલન થયેલ અને બાદમાં તંત્ર દ્વારા ધોરાજીના જુદા-જુદા વિસ્‍તારોમાં રોડ બનાવવામાં આવેલ અને નવા બનાવવામાં આવેલ રોડમાં ખાડા પડતા જેનાં ઉપરનું પડ (સીલીકોટ) નબળુ બનાવેલ છે. જેથી રસ્‍તાઓમાં ખાડાઓ પડેલ છે. જયારે શહેરમાં અન્‍ય રોડમાં પણ ખાડાઓ પડેલ છે. જે અંગે જાગૃત નાગરિકો દ્વારા અવાર નવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા યોગ્‍ય કાર્યવાહી ન કરાતા આ અંગે જમનાવડ રોડના નાગરિકોએ આવેદન જિલ્લા કલેકટર, નાયબ ઇજનેર માર્ગ મકાન સહિત વિભાગોમાં લેખિત ફરિયાદ કરેલ અને જો આવનારા સમયમાં રોડ પર પડેલ ખાડાઓ અંગે યોગ્‍ય નિર્ણય નહી કરાય તો ગાંધીચિંધ્‍યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી સામાજીક અગ્રણી નીતિનભાઇ જાગાણીની યાદીમાં જણાવેલ છે.

(10:22 am IST)