Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

સુરેન્‍દ્રનગર જિલ્‍લામાં સભા-સરઘસબંધી,મંજૂરી વગર પાંચ કે તેથી વધુ માણસોને એકત્રિત થવા પર પ્રતિબંધ ;અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું

સુરેન્‍દ્રનગર:સુરેન્‍દ્રનગર  કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઇ રહે તે માટે સુરેન્‍દ્રનગરનાં અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટએ પોલિસ અધિનિયમ-1951ની કલમ-37 (3) હેઠળ તેમને મળેલી સત્તાની રૂએ  મંજૂરી વગર પાંચ કે વધુ માણસો એકત્રિત થવા તથા સભા-સરઘસ યોજવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામા અંતર્ગત સુરેન્‍દ્રનગર જિલ્‍લાનાં સમગ્ર વિસ્‍તારમાં તા.૩૦-૦૯-૨૦૨૨ સુધીના સમયગાળા દરમિયાન નગરપાલિકા વિસ્‍તારમાં સંબંધિત સબ ડીવીઝનલ મેજીસ્‍ટ્રેટ તથા ગ્રામ્ય વિસ્‍તારમાં મામલતદારશ્રી અને એક્ઝીક્યુટીવ મેજીસ્‍ટ્રેટની અગાઉથી મંજૂરી મેળવ્‍યા સિવાય પાંચ કે વધુ માણસો એકઠા થવા તથા સભા સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ લગ્‍નનાં વરઘોડા-સ્‍મશાનયાત્રા તથા પૂર્વ મંજૂરી લીધેલ શોભાયાત્રાને લાગુ પડશે નહીં. આ પ્રતિબંધક હુકમનો ભંગ કરનાર વ્‍યક્તિ પોલિસ અધિનિયમ-1951ની કલમ-135 હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે.

(1:17 am IST)