Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

ગોંડલના વોરાકોટડા રોડ પર નદી કાંઠે ગણપતિ વિસર્જન કરાયા

મુર્તિઓ માટે તરાપા તથા ક્રેન ની વ્યવસ્થા: બે દિવસમા અંદાજે ૨૫૦ ગણપતિ વિસર્જન કરાયા

ગોંડલ; શહેરના વોરા કોટડા રોડ પર નદી નજીકની ખાણોમા ૧૩૮ જેટલા નાના મોટા ગણપતિ વિસર્જન કરાયા હતા.

ઓટોસ ગૃપ,દરબાર ચોક સહીત મોટા આયોજનો ઉપરાંત ઘરે ઘરે કરાયેલા સ્થાપનો સહીત તમામ વાજતે ગાજતે વોરાકોટડા રોડ પંહોચ્યા હતા.

ગણપતિ વિસર્જન સ્થળે નગરપાલીકા તંત્ર દ્વારા ફાયરબ્રિગેડ સહીત સ્ટાફ તહેનાત કરાયો હતો.ગણપતિની મોટી મુર્તિઓ માટે તરાપા તથા ક્રેન ની વ્યવસ્થા કરાઇ હતી.પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત રખાયો હતો.

બે દિવસમા અંદાજે ૨૫૦ ગણપતિ વિસર્જન કરાયા હતા.

(12:57 am IST)