Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

મોરબીના વોર્ડ નં 11 થી 13 માં ૩ દિવસ અનિયમિત પાણી વિતરણ થશે.

મોરબી શહેરમાં સંપમાં રીપેરીંગ કામ કરવાનું હોવાથી પાલિકા દ્વારા બે સંપમાં આવતા વિસ્તારોમાં ૩ દિવસ માટે અનિયમિત પાણી વિતરણ કરવામાં આવનાર હોવાની યાદી ચીફ ઓફિસર દ્વારા જાહેર કરવામાં આવી છે.

આ અંગે મોરબી નગરપાલિકાના ચીફ ઑફિસરના જણાવ્યા અનુસાર મોરબી નગરપાલિકા તથા પાણી પુરવઠા બોર્ડ દ્વારા સંયુક્ત રીતે શપાણી સપ્લાઈ કરતા સમ્પ હાઉસ પૈકી સરદાર બાગ તથા પંચાસર રોડ ઉપરના પમ્પીંગ સ્ટેશનમા જરૂરી રીપેરીંગ કામ કરવાનું હોય જેને પગલે આગામી તા.-૧૧-૧૨-૧૩ સપ્ટેમ્બર ૨૦૨૨ માટે શહેરના લોહાણા બોર્ડીંગ પછીના વિસ્તાર જેવોકે શક્તિ પ્લોટ, કાયાજી પ્લોટ, દાઉદી પ્લોટ તથા રવાપર રોડ, શનાળા રોડ, કેનાલ રોડ, ભક્તિ નગર સર્કલ, પંચાસર રોડ, ચિત્રકૂટ સોસાયટી ૧થી૬ તથા લાતી પ્લોટ વિસ્તારમાં પાણી પુરવઠાની સપ્લાઈ અનિયમિત રહેશે તેમ જણાવવામાં આવ્યું હતું.

(12:09 am IST)