Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

લાખોટા તળાવમાં ખાદ્ય વસ્તુઓ નાખવા ઉપર પ્રતિબંધ મૂકોઃ

જામનગર : લાખોટા તળાવમાં થોડા દિવસ પહેલા કેટલાક વિદેશી પક્ષીઓના મૃત્યુ થયા હતા અને જેનો ગઇ કાલે પીએમ રિપોર્ટ આવ્યો હતો. આ પીએમ રિપોર્ટ અખાદ્ય વસ્તુ ખાવાને કારણે પક્ષીઓના મોત થયાનું સામે આવ્યું  હતું. જેને લઇને લાખોટા નેચર કલબના કારોબારી સભ્યો દ્વારા મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડીને આવેદનપત્ર પાઠવી તળાવમાં પક્ષીઓને નુકસાન કરતા ખાદ્ય વસ્તુ પર કડક પ્રતિબંધ કરવા માટે રજુઆત કરવામાં આવી છે. (અહેવાલ : મુુકુંદ બદિયાણી, તસ્વીરઃ કિંજલ કારસરીયા)

(1:29 pm IST)