Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

ગીરસોમનાથના સુત્રાપાડામાં આભ ફાટ્યુ: ધોધમાર 10 ઇંચ વરસાદ ખાબક્યો : વેરાવળમાં 6 ઇંચ વરસાદ

તાલાલામાં સાડા ત્રણ ઇંચ,વેરાવળના ઇણાજ ગામમાં પાણી ભરાયા :સરસ્વતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ : માધવરાયજી મંદિર પાણીમાં ડૂબ્યું.

ગીરસોમનાથના સુત્રાપાડામાં રીતસર આભ ફાટ્યુ જેવી સ્થિતિ સર્જાઈ હતી ધોધમાર 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો જયારે વેરાવળમાં પણ 6 ઇંચ વરસાદે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું , જિલ્લાના તાલાલામાં પણ સાડા ત્રણ ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો હતો . વેરાવળના ઇણાજ ગામમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ હતી, સરસ્વતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાતા પ્રાચીતિર્થ ખાતે આવેલું માધવરાયજી મંદિર પાણીમાં ડૂબ્યું છે  સાથે જ જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ છે .

(11:39 am IST)