Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

સોમવારથી નાગેશ્વર મહાદેવ મંદિર ચાર દિવસ ભાવિકો માટે બંધ રહેશે

કોરોનાના વધતા સંક્રમણ અને તહેવારોમાં સોશ્યલ ડિસ્ટન્સ ન જળવાઈ તેવી ભીતિને કારણે લેવાયો નિર્ણંય

( દીપેશ સામાણી દ્વારા ) દ્વારકા : સુપ્રસિદ્ધ નાગેશ્વર મહાદેવ મંદિર સોમવારથી ચાર દિવસ ભાવિકો માટે બંધ રહેશે મંદિર મેનેજમેન્ટ દ્વારા  મહાદેવના ભકતજનો માટેની યાદીમાં જણાવાયા મુજબ તા.૧૦/૦૮/૨૦૨૦ થી તા.૧૩/૦૮/૨૦૨૦ સુધી મંદિર બંધ રહેશે

. covID-19 ના વધતા સંક્રમણ, જાહેર તહેવારો તથા પવિત્ર શ્રાવણ માસના લીધે લોકોની આસ્થા અને શ્રધ્ધા મહાદેવ સાથે જોડાયેલ હોય છે અને તેમાં આવનારી રજાઓમાં લોકોની દર્શન માટેની સંખ્યામાં વધારો થાય તેવા સંજોગો હોય છે અને તેના કારણે લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટસિંગ ન જળવાય તેવો ભય છે અને આ જ કારણોસર મુખ્ય દ્વારકાધીશ મંદિર પણ ભક્તો/દર્શનાર્થીઓ માટે થઈને બંધ રાખવામાં આવેલ છે.

 જેથી નાગેશ્વર મંદિર મેનેજમેન્ટ દ્વારા પણ ઉપર દશવિલ તારીખના રોજ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લીધેલ છે. જેની સર્વે ભકતજનો, દર્શનાર્થીઓએ ખાસ નોંધ લેવા નમ્ર અરજ છે.તેમ યાદીના અંતમાં જણાવ્યું છે

(10:51 am IST)