Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

પોરબંદર સમસ્ત ખારવા સમાજ દ્વારા અષાઢીબીજે સરકારની કોવિડ માર્ગદશિકા મુજબ શોભાયાત્રા

ખારવા સમાજના પ્રમુખ-ઉપપ્રમુખ ટ્રષ્ટીઓ અગ્રણીઓ સભ્યોના માર્ગદર્શન હેઠળ પંચાયત મંદિરથી રામદેવજી પ્રભૂની શોભાયાત્રાનું આયોજન

(મહેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૯ : સમસ્ત ખારવા સમાજ દ્વારા અષાઢીબીજે તા.૧રમીએ રામદેવજી પ્રભુની પરંપરાગત શોભાયાત્રા સરકારની કોવિડ માર્ગદર્શિકા મુજબ ખારવા સમાજ પંચાયત મંદિરથી નીકળશે.

સમસ્ત ખારવા સમાજની પરંપરાગત અષાઢી બીજે સરકારની કોવિડ માર્ગદર્શિકા મુજબ ખારવા સમાજના નવા ચૂંટાયેલા વાણોટ ઉપપ્રમુખ પંચપટેલ ટ્રષ્ટીઓ આગેવાનોની રાહબરી હેઠળ આયોજન થયું છે.

રામદેવજી પ્રભુની શોભાયાત્રા રૂટમાં વર્ષો જુની પરંપરા મુજબ વેપારી મહાજનો દ્વારા સમાજના વાણોટ-ઉપપ્રમુખ પંચપટેલનું સ્વાગત કરાશે.

(12:57 pm IST)