Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

મોરબી લેન્ડ ગ્રેબિંગ ગુન્હામાં જડેશ્વર મંદિરના બંને પુજારીની જામીન અરજી કોર્ટે ફગાવી

તપાસમાં સહકાર ના આપતા હોવાની સરકારી વકીલની દલીલોને પગલે કોર્ટે જામીન અરજી ફગાવી

મોરબીના સ્ટેશન રોડ પર આવેલ જડેશ્વર મદિરના હાલ પૂજા કરતા બે પુજારીઓ સામે મંદિરના ટ્રસ્ટીઓએ લેન્ડ ગ્રેબીગ એકટ હેઠળ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હોય જે ફરિયાદને પગલે બંને આરોપીઓની પોલીસે ધરપકડ કરી હોય અને બંને આરોપીએ આજે મોરબી કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી જે જામીન અરજી પણ કોર્ટે ફગાવી દીધી છે  
 રાજકોટના રહેવાસી અને મંદિરના ટ્રસ્ટી યશવંત મણીલાલ જોશીએ પોલીસ ફરિયાદ નોધાવી હતી કે  મોરબી શહેરના સ્ટેશન રોડ પર આવેલ જડેશ્વર મહાદેવ મંદિરમાં પુજારી એવા આરોપી હર્ષદગીરી ગોવિંદગીરી ગોસ્વામી, રાજુગીરી ગોવિંદગીરી ગોસ્વામીએ મંદિરમાં કબજો કરી લીધો હોય અને મંદિર ઉપરાંત ત્રણ બાથરૂમ, પાણીનું પરબ, પાણીનો મોટર વાળો રૂમ, સીસીટીવી રૂમ ,મુખ્ય ઓફીસ સહિતની મિલકત પર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હોય જે મામલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક ખાતે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો હતો
જે ફરિયાદને પગલે બંને પૂજારીઓએ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી જેમાં મોરબીના સરકારી વકીલ સંજયભાઈ દવેની સરકાર તરફેની ધારદાર દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે બંને આરોપીની આગોતરા જામીન અરજી ફગાવી દઈને આગોતરા જામીન નામંજૂર કર્યા હતા જેને પગલે એ ડીવીઝન પોલીસે બંને આરોપી હર્ષદગીરી ગોવિંદગીરી ગોસ્વામી અને રાજુગીરી ગોવિંદગીરી ગોસ્વામી રહે બંને રેલ્વે સ્ટેશન રોડ જડેશ્વર મંદિર વાળાની ધરપકડ કરી વધુ તપાસ ચલાવી હતી તો આજે બંને આરોપી દ્વારા મોરબી કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી જેમાં સરકારી વકીલ સંજયભાઈ દવેએ આરોપીઓ તપાસમાં સહકાર ના આપતા હોવા સહિતની ધારદાર દલીલો કરી હતી જેને માન્ય રાખીને કોર્ટે બંને આરોપીના જામીન નામંજૂર કર્યા છે

(9:53 pm IST)