Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

૩૦મી સુધી સત્તાધારધામમાં દર્શન બંધ

રામ નવમી-હનુમાન જયંતી-અખાત્રીજના મહોત્સવ રદ્દ : ભાવિકો ઘેર રહીને સેવા-પૂજા કરેઃ પૂ. વિજયબાપુ ગુરૂ શ્રી જીવરાજબાપુ

રાજકોટ તા. ૯ : કરોડો ભાવિકોની  આસ્થાના ધામ સત્તાધારના મહંત પૂ. વિજયબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુની યાદી પ્રમાણે કોરોના મહામારીનો પ્રક્રોપ વધતા સત્તાધારધામ તા. ૧૦ થી તા.૩૦ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.

સત્તાધારધામમાં દર્શન-આરતી દર્શન-ઉતારા માટેની વ્યવસ્થા વગેરે સરકારના નિયમ પ્રમાણે બંધ રહેશે. આ સમયના ઉત્સવો, સંતવાણી, યજ્ઞ, રામનવમી, હનુમાન જયંતી, અખાત્રીજ વગેરે ઉત્સવો રદ્દ કરાયા છે.

પૂ.વિજયબાપુએ ભાવિકોને ઘેર રહીને સેવા-પૂજા-ભકિત કરવા જણાવ્યું છે.

(3:56 pm IST)