Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

સાચો પાક વિમો આપો, નહી તો નાટક પુરતો પાકવિમાનો હિસાબ આપોઃ કિશાન કોંગ્રેસના નેતાઓનો ગાંધીનગર કચેરીમાં રાતવાસો

ખંભાળીયા તા. ૯ : ગુજરાત રાજય કિશાન કોંગ્રેસના નેતા પાલભાઇ આંબલિયા નવતર પ્રકારના આંદોલનો માટે જાણીતા છે.ે તથા તેમણે પાકવીમા માટે દંડવત વાચા, પાકની હોળી ડોકટર દર્દીના નાટકો કરેલા તાજેતરમાં રાજય સરકારની વીમા એજન્સી દ્વારા જે પાકવીમો જાહેર કરાયેલ તે અત્યંત ઓછો હોય તથા કેમ આટલો ઓછો આવ્યો ? તે અંગે પણ કોઇ સંતોષકારક જવાબ ના અપાતા તથા અનેક વખત રજુઆત છતાં યોગ્ય ના થતા ગુજરાત કિશાન કોંગ્રેસના નેતા પાલભાઇ આંબલિયાએ નવતર વિરોધ કરી સમગ્ર ગુજરાત સરકારને હલાવી દીધી છ.ે પાકવીમાની વિગતો લેવા ગાંધીનગર રાજય ખેતી નિયામકની કચેરીએ પાલભાઇ આંબલિયા તથા ધારાસભ્ય બ્રીજેશ મેરજા, ઋત્વીક મકવાણા, ચિરાગ કાલરીયા, આગેવાનો જે.કે. પટેલ, ગીરધરભાઇ વાઘેલા, કુલદીપભાઇ સગર, પ્રતાપભાઇ બિસ્તરીયા, પંકજ પટેલ વિ. આગેવાનો સાચો પાકવીમો આપો અથવા હાલના નાટકીય પાકવીમાની સાચી વીગતો આપોની માંગ સાથે કચેરીએ રજુઆત કરવા ગયા હતા તથા પ્રશ્નનું નિરાકરણ ના આવતા આ રાજયની કચેરીમાંજ ધામા નાખીને રાતવાસો પણ કચેરીમાં કરતા રાજયનું તંત્રત્ર પણ દોડી ગયું હતું. જો કે પ્રશ્ન ના ઉકેલાય ત્યાં સુધી હટીશું નહી ના નારા સાથે આ આગેવાનોએ રાત્રી ભોજન પણ કચેરીમાં લીધું હતું તથા સવારનું બ્રશ પણ કચેરીમાં કયુંર્ હતું જે ખેડુત લડતનો રેકોર્ડ છે.

ખેડુત આગેવાન પાલભાઇ આંબલિયાએ જણાવ્યું હતું કે પ્રધાન મંત્રી પાક વીમા યોજના અંતર્ગત  વીમા કંપનીઓએ રર ટકાથી માંડીને ૪૯ ટકા સુધીનું વીમા પ્રિમિયમ ઉઘરાવીને કરોડો મેળવ્યા છે જેની સામે દુષ્કાળગ્રસ્ત ગુજરાતમાં નહીંવત પાક વીમો જામેર કરીને ખેડુતોની કુર મશ્કરી કરી છે કયાંક ૦ % તો કયાંક ૦.૧પ% અને ૦.૬૮% વીમો મજુર થયા છે અને પ્રધાનમંત્રી પાકવીમા યોજનાનું છડેચોક ઉલ્લંઘન કરાયું છે તથા માહીતી માંગતા આ ગોપનીય માહિતી છે આપી ના શકાય તેવું જણાવાયુ છે.

પાકવીમો સાચો આપો તથા ના આપો તો હાલના નાટકીય પાક વીમાના આંકડા વિગતો આપોના નારા સાથે કિશાન કોંગ્રેસના રાજય પ્રમુખ પાલભાઇ આંબલિયાની આગેવાની હેઠળ કોંગ્રેસ દ્વારા રાજય ખેતી નિયામકની કચેરી કૃષિચયન ખાતે ગઇકાલથી આંદોલન શરૂ થયું છે જેના આજે ઘેરા પ્રત્યાઘાતો ગાંધીનગરમાં પડયા છે.

(3:59 pm IST)