Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

મોરબીમાં જવલંત પદાર્થ છાંટતા એક શ્વાનનું મોત

મોરબી તા. ૯ : આજનો માનવી પશુઓ કરતા પણ વધુ ક્રૂર બની ગયો છે. તેવા કિસ્સાઓ સામે આવતા રહે છે આવો જ કિસ્સો તાજેતરમાં મોરબીમાં બન્યો છે. જેમાં મહેન્દ્રપરા ચોક પાસે અજાણ્યા ઇસમોએ બે શ્વાનોને સળગાવી દીધા હોય જેમાં એકનું મોત થયું હતું.

મોરબીના મહેન્દ્રપરામાં અજાણ્યા ઈસમો દ્વારા રાક્ષસી કૃત્ય આચરવામાં આવ્યું છે જેમાં બે શ્વાનોને કોઈ ઇસમોએ પેટ્રોલ જેવો પદાર્થ ફેંકી જીવતા સળગાવ્યા હતા જેને પગલે એક શ્વાનનું તુરંત મોત થયું હતું અન્ય શ્વાન સળગતું હોય જેને સ્થાનિકોએ આગ બુઝાવી બાદમાં ગંભીર રીતે દાઝેલા શ્વાનને સેવાભાવી સંસ્થામાં મોકલ્યું હતું. જોકે બીજા શ્વાનને પણ બચાવી શકાયું ના હતું અને તેનું પણ મોત થયું છે મોરબીમાં અબોલ પશુ પ્રત્યે હેવાનિયતના કિસ્સાથી ચકચાર મચી છે અને સૌ કોઈ આ રાક્ષસી કૃત્ય કરનાર પર ફિટકાર વરસાવી રહ્યા છે.

(11:46 am IST)