Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

લખતરમાં ગંદકીનો વર્ષો જુનો પ્રશ્ન ઉકેલાયો

વઢવાણઃ સુરેન્દ્રનગરના લખતરમાં રેફરલ હોસ્પીટલ પાછળ વર્ષો જુની કચરાની વસાહત હતી અને લોકોની માંગણી હતી કે આ કચરો દુર થાય અને લોકોની સુખાકારી વધે અને બાજુમાં આવેલી આંગણવાડી કેન્દ્રમાં ભણવા આવતા બાળકોની સુખાકારી વધે. આથી લખતરના પીએસઆઇ એમ.કે.ઇસરાની લખતર મહિપતસિંહ રાણા અન્નક્ષેત્ર પરીવારના હિતુભા રાણા લખતર સરપંચ પ્રહલાદભાઇ ચાવડા લખતર એએસઆઇ કે.પી.ધોરળીયા, એએસઆઇ મહેન્દ્રસિંહ, નટુભા તેમજ આંગણવાડીના સંચાલીકા મનીષા ભાવસાર સહિતનાઓએ ઉપસ્થિત રહી દવાખાના પાછળ સફાઇ અભિયાન ચલાવી વર્ષો જુની ગંદકી દુર કરાવી હતી. સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું તે તસ્વીર.

(11:51 am IST)