Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

કુતિયાણામાં ખેડૂતની મગફળી વેચાણનું પાકુ બીલ ન આપીને વિશ્વાસઘાત

પોરબંદર, તા. ૮ :  બાપોદરની વરવાળા સીમમાં રહેતા રામભાઇ લખમણભાઇ બાપોદરાએ માધવપુર (ઘેડ) પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ કે રોધડાના ગોવિંદભાઇ ચશ્માવાળા પાસે પોતાના પિતાએ વેચાણ કરેલ મગફળીનું પાકુ બીલ માગતા રોધડા સહકારી મંડળીનું પાકું બીલ રૂ. ૧૧ હજારનું ન આપી વિશ્વાસઘાત કર્યો હતો.

પોલીસે વિશ્વાસઘાતનો ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે. કુતિયાણા પંથકમાં ખેડૂતો પાસેથી મગફળી ખરીદીમાં એક કિલોએ એક રૂપિયો વધુ ચુકવવું પડતાની તેમજ કેટલીક વખત નિયમ વિરૂધ્ધ રાત્રીના સમયે પણ ખરીદ કરતાની ચર્ચા થઇ રહી છે.

(11:48 am IST)