Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળા અંગે સૂચનો સૂચવતા અશ્‍વિનભાઇ મણીયાર

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા.૯ : આ વર્ષે મહાશિવરાત્રીનો મેળો કોવિડની ગાઇડ લાઇન મુજબ તા. ૧૫થી ૧૯ દરમિયાન યોજાશે. ત્‍યારે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરાઇ છે. જે અંગે અશ્‍વિનભાઇ મણિયાર દ્વારા સૂચનો અપાયા છે.

જે અંતર્ગત જન આરોગ્‍ય માટે કલોરીનેશન તથા દવાના છંટકાવ તથા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવું, ટ્રાફિક માટેની વ્‍યવસ્‍થા, વીઆઇપી માટે સુચારૂ વ્‍યવસ્‍થા, દામોદર કુંડ સામે નો પાર્કિંગ ઝોન ઉભો કરવા, અન્નક્ષેત્રો, ઉતારા, લાઇટ- પાણી, ઇલેકટ્રીક કનેકશનની વ્‍યવસ્‍થા, સીસીટીવી કેમેરા, ભવનાથની પાછળના રસ્‍તા પર લાઇટની વ્‍યવસ્‍થા ગોઠવવી, ટેકસી સેવાઓ ગોઠવવા અંગેના સૂચનો અપાયા છે.

(1:40 pm IST)