Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

ધોરાજી માનવ સેવા યુવક મંડળ દ્વારા સેવાભાવી મનસુખભાઇ સાવલીયાનુ સન્‍માન

ધોરાજી તા .૯ : મુળ જામકંડોરણાના દળવી ગામના ખેડુત એવા મનસુખભાઇ સાવલીયા જેઓને તાજેતરમાં રાજકોટ શહેરના સાવલીયા પરીવારના પ્રમુખ તરીકે બીરાજમાન થયેલ અને મનસુખભાઇ સાવલીયા અનેક સામાજીક સેવાભાગી સંસ્‍થાઓમાં પોતાની સેવાઓ બજાવે છે. જેવી કે જામકંડોરણા અને રાજકોટ કન્‍યા છાત્રાલયમાં ટ્રસ્‍ટી અને જામકંડોરણા વિઠ્ઠલભાઇ રાદડીયા સંચાલીત પાંજરાપોળ ગૌવશાળામાં ટ્રસ્‍ટી તેમજ તીર્થસ્‍થાનો શ્રીનાથજી (નાથદ્વારા) હરદ્વાર, મથુરા, દ્વારા ત્‍યાં ફાવીસ્‍ટાર હોટલોને ટકર મારે  તેવા સમાજમાં ટ્રસ્‍ટી તરીકે સેવાઓ તેમજ આટકોટ ખાત ેકે.ડી.પરવડીયા હોસ્‍પીટલમાં ટ્રસ્‍ટી તેમજ સર્વજ્ઞાતિ સમુહલગ્ન કુલ ૪ સમુહ લગ્ન યોજીની કુલ ૧૩૧ થી વધુ સર્વજ્ઞાીતની દિકરીઓ લાખેણા દહેજ આપી સર્વ જ્ઞાતિની દિકરીઓના સમુહલગ્ન મહોત્‍સવ કમીટીના પ્રમુખ તરીકે મનસુખભાઇ સાવલીયા સેવાઓ આપશે આવા સેવાભાવી મનસુખભાઇ સાવલીયાની સેવાઓ ને બીરદાવી માનવ સેવા યુવક મંડળના ધર્મેન્‍દ્ર બાબરીયા અને ભોલાભાઇ સોલંકી દ્વારા ભગવાન શ્રીકૃષ્‍ણની મુર્તિભેટ આપી સન્‍માનીત કરેલ હતા

(12:47 pm IST)