Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

જામનગરમાં એટીએમ કાંડમાં સંડોવાયેલા પુત્રના પિતાનો આપઘાત

જામનગર, તા.૯:- જામનગરમાં ડુપ્લીકેટ એટીએમ કાંડમા સંડોવાયેલા પુત્રનાં પિતાએ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

અહીં ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા દિનેશભાઇ ગોકળભાઇ પરમાર એ સીટી'સી' પોલીસ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૮–ર–૧૯ના આ કામે મરણજનાર જગદીશભાઈ ચનાભાઈ પરમાર,ઉ.વ.પપ રે. હવાઈ ચોક, નાગરચકલો, લાલા મહેતા શેરી, જામનગરવાળાનો દિકરો મોહિત અવાર–નવાર ખોટા ધંધા કરતો હોય જેના કારણે લાગી આવતા સમર્પણ ફાટક રેલ્વેના પાટા પર જમ્પ કરી આપઘાત કરતા મરણ ગયેલ છે.

 

(2:55 pm IST)