Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

રાણાવાવના અણિયારીમાં બે વર્ષ જુના મનદુઃખથી તલવાર-ધારિયા વડે હુમલોઃ માજી સરપંચ સહિત બે ઘવાયા

પોરબંદર તા.૮ : રાણાવાવના અણીયારીમાં બે વરસ જુના મનદુઃખથી માજી સરપંચ ડાયાભાઇ હીરાભાઇ હુણ (ઉ.૪૩) સહિત બે વ્યકિતઓ પર પાંચ શખ્સોએ તલવાર, ધારીયા, લોખંડના પાઇપ વડે હુમલો કર્યાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

રાણાવાવ તાલુકાના અણીયારીના માજી સરપંચ ડાયાભાઇ હુણ (ઉ.૪૩) એ નોંધાવેલ પોલીસ ફરીયાદમાં જણાવેલ કે ગામમાં જ રહેતા લખુ રાણભાઇ, ગોરાણીયા અને સમા નાગા કુછડીયા નામના બેવરસ પહેલા દારૂ પીને ગામમાં આવતા હોવાથી તેઓને ઠપકો આપ્યો હતો જેવાતનું મનદુઃખ રાખી લખુ રણમલ ગોરાણીયા હરદાસ રણમલ ગોરાણીયા, નાગા નથુ કુછડીયા, ભીમા નાગા કુછડીયા અને રામા નાગા કુછડીયા નામના પાંચ શખ્સો તલવાર, ધારીયા અને લોખંડના પાઇપ જેવા હથિયાર માજી સરપંચ ડાયાભાઇ હીરાભાઇના ઘેર જઇને ડાયાભાઇ તથા તેની સાથે રહેલા રાણાભાઇ દેવરાજ કોડિયાતર પર હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી અને ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી બન્ને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પોરબંદરની ભાવસિંહજી સીવીલ હોસ્પિ. ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિ.માં ખસેડવામાં આવ્યા છે. પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ ગ્રામ્ય ડીવાયએસપી સ્મિત ગોહેલ ચલાવી રહ્યા છે.

(12:37 pm IST)