Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

પોરબંદરમાં બ્રીજેશભાઈની જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ

પોરબંદરઃ જિલ્લાના પ્રવાસે આવેલા શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ કીર્તિ મંદિર ખાતે પૂ. ગાંધીજીને પૂષ્પાંજલી અર્પીને પોરબંદર જિલ્લામા જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યાર પછી ખારવા સમાજની મઢીએ તથા સ્વસ્તિક હોલ નવીબંદર ખાતે ખારવા સમાજના આગેવાનો દ્વારા મંત્રીશ્રી તથા અન્ય મહાનુભાવોનુ ફુલહારથી સ્વાગત કરાયુ હતું. પોરબંદર જિલ્લાના પ્રવાસ દરમિયાન મંત્રીશ્રીની સાથે ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, નગરપાલિકાના પ્રમુખ સરજુભાઈ કારીયા, પૂર્વ ધારાસભ્ય કરશનભાઈ ઓડેદરા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયા, શહેર ભાજપ પ્રમુખ પંકજભાઈ મજીઠીયા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નીલેશભાઈ મોરી, ખારવા સમાજના અગ્રણીઓ, રણછોડભાઈ શિયાળ, વિનોદભાઈ બારડ, સંજયભાઈ, નરેન્દ્રભાઈ, લલીતભાઈ, મોહનભાઈ, ચુનીભાઈ, અશ્વિનભાઈ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કીર્તિ મંદિરે પૂ. ગાંધીજીને પૂષ્પાંજલી અર્પણ કરતા બ્રીજેશભાઈ તથા તેમનુ સન્માન અને જન આશીર્વાદ યાત્રા પ્રારંભ થયો તે તસ્વીર.

(12:49 pm IST)