Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

રાબા સમઢીયાણામાં પાટોત્સવ

ભાવનગર : વિંછીયા પાસે રાબા સમઢીયાળા ગામે સ્વયંભુ ધારેશ્વર મહાદેવ મંદિરનો ૭૯મો પાટોત્સવ તા.૧૧ શુક્રવારના ધામધૂમથી ઉજવાશે. ગુજરાત પ્રદેશના વિશ્વ સનાતન ધર્મપરિષદના સચિવ ધર્મ સાંસદ વિદ્વાન મહંત પ.પુ.શ્રી કનૈયાગીરી સદગુરૂ મણીગીરીજી બાપુની પાવનમાં યોજાનાર પાટોત્સવ મહોત્સવ પ્રસંગે અમરેલીના જયદીપ એચ.ધડુકના મુખ્ય યજમાનપદે લઘુરૂદ્રયજ્ઞ, વિદ્વાન મહંત પૂ.કનૈયાગીરી બાપુના શ્રીમુખે પ્રવચન સાંજના પ કલાકે સામુહીક મહાપ્રસાદ રાખેલ છે. સર્વોને લાભ લેવા નિમંત્રણ અપાયુ છે. મંદિર તથા મહંતની તસ્વીર. (તસ્વીર : મનીષ પી.દવે, ભાવનગર)

(11:46 am IST)