Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા વિંછીયામાં પ્લાસ્ટીક કચરા મુકત માટે મહાશ્રમદાન

જસદણ : ગાંધી જયંતીના ઉપલક્ષે ગાંધીજીના સ્વરછ ભારત માટેના સપનાને સાકાર કરવા માટે પ્લાસ્ટિક કચરા મુકિત માટે વીંછિયા ખાતે મહાશ્રમ દાન નો કાર્યક્રમ યોજાયો જેનું આયોજન રિલાયન્સ ફાઉન્ડેશન તથા તાલુકા સેવા સદન દ્વારા કરવામાં આવ્યું જેમાં તાલુકા પંચાયત ના સભ્યો, ગ્રામ પંચાયત સભ્યો, ફોરેસ્ટ ડિપર્ટમેન્ટ, અજમેરા શાળાઙ્ગ , ઓમકાર શાળા સરકારી શાળા, રાજમોતી યુવક મંડળ, ગુજરાત રાજય યુવક મંડળ, આગા ખાન સંસ્થા, પોલિસીઓ ઇરીગેશન કંપની, જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયત ના વિવિધ વિભાગો, સાવરજ સંસ્થા વગેરે જોડાયાં. આ કાર્યક્રમમાં સફાઈ, રેલી અને સ્વરછતા પર વાતચીત કરવામાં આવી. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી શ્રી, મામલદાર શ્રી અને તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારા રેલીમાં જોડાઈ વચ્ચે આવતા તમામ દુકાનદારોને સ્વરછતા બાબતે અપીલ કરવામાં આવી અને મહા શ્રમદાન માં જોડાયા. કાર્યક્રમનું સમાપન અજમેરા શાળાના હોલ માં કરવામાં આવ્યું જેમાં અધિકારીઓ શ્રી દ્વારા સ્વરછતા બાબતે જાગૃતિ વાતચીત કરવામાં આવી. આ મહા શ્રમદાન માં લગભગ ૧૫૦૦ શાળાના બાળકો અને ગ્રામજનો દ્વારા સફાઈ અભિયાન માં ભાગ લીધેલ. તે પ્રસંગની તસ્વીર.

(11:36 am IST)