Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

દાતારના રસ્‍તા પ્રશ્ને સપ્તાહમાં યોગ્‍ય કરવાની ખાત્રી : પૂ. વિઠ્ઠલબાપુના ઉપવાસ સમેટાયા

જુનાગઢ તા ૮ : જુનાગઢ નિચલા દાતારથી વિલીંગડન ડેમ ઉપલા દાતારથી સીડી પર થયેલ દબાણો દુર કરવા અને રસ્‍તો પહોળો કરવાની દાતારની જગ્‍યાના મહંત પૂ. વિઠ્ઠલબાપુ દ્વારા ૮ માસથી અવારનવાર રજુઆત કરવામાં આવી હતી.

અને યોગ્‍ય કાર્યવાહી ન થતાં આજે દાતારના ૨૦૦ પગથીયા ઉપર દાતારના મહેંંત પુ. વિઠ્ઠલબાપુ દ્વારા દાતારનો રસ્‍તો પહોળો કરવાની માંગ સાથે સવારે ૧૦ કલાકથી સેવકો સાથે પ્રતિક ઉપવાસ પર બેઠા હતા. દરમ્‍યાન આજે બપોરે કલેકટરશ્રી સોૈરભ પારધી એ આ રસ્‍તા બાબતે તેઓની વ્‍યાજબી માંગણી ગણાવી અઠવાડીયામાં આ રસ્‍તા અંગે કાર્યવાહી હાથ ધરી ખુલ્લો કરવામાં આવશે તેવી ખાત્રી આપતા આંદોલનનો સુખદ અંત આવેલ અને કલેકટરના હસ્‍તે પુ. વિઠ્ઠલબાપુને શરબત પિવડાવી પારણા કરાવ્‍યા હતા, ત્‍યારેએસ.પી. સોૈરભસિંઘ પણ સાથે રહ્યા હતા અને મ્‍યુ.કમિ. પ્રકાશ સોલંકી એ પણ વિલીગ્‍ડન ડેમ નજીક હાજર રહ્યા હતા.

(4:58 pm IST)