Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

લીલીયા મોટા ખાતે વેલનાથ મંદિર ના વિવિધ કામ માટે ૧૧.૫૦ લાખના ખાતમૂહર્ત કરતા ધારાસભ્‍ય પ્રતાપભાઇ દુધાત

સાવરકુંડલા : સાવરકુંડલા-લીલીયા મત વિસ્‍તારના ધારાસભ્‍ય પ્રતાપ દુધાત દ્વારા લીલીયા મોટા ખાતે વેલનાથ મંદિર આવેલુ છે ત્‍યાં મંદિરના પટરાંગણમાં બ્‍લોક પેવીંગ રોડ માટે ધારાસભ્‍ય  દ્વારા વિકાસ ના કામ અર્થે તેમને મળતી ગ્રાન્‍ટ માંથી આ મંદિરના પટરાંગણમાં બ્‍લોક પેવીંગ કરવા માટે ૫ લાખ ફાળવવામાં આવેલ તેમજ તાલુકા કક્ષાની ગ્રાન્‍ટ ૨.૫ લાખ શૌચાલય માટે તેમજ ૫ લાખ ગ્રામ પંચાયત ની ગ્રાન્‍ટ માંથી કોમ્‍યુનીટી વોલ આમ કુલ ૧૧.૫૦ લાખ ના કામોનું આજ રોજ આ મંદિર માં તેમનું ખાત મૂહર્ત ધારાસભ્‍ય પ્રતાપ દુધાત ના વરદ હસ્‍તે કરવામાં આવેલ હતું જેમાં વેલનાથ યુવક મંડળ તેમજ આગેવાનો અને બહાદુરભાઈ બેરા તાલુકા કોંગ્રેસ  પ્રમુખ, નીતીનભાઈ ત્રિવેદી, જીલ્લા કોંગ્રેસ મંત્રી, જીવનભાઈ વોરા સરપંચ  કાન્‍તીભાઈ ડુંગરિયા, સવજીભાઈ ગલસાણીયા, , ખોડાભાઈ માળવીયા,  પ્રમુખ તાલુકા કોંગ્રેસ લીલીયા  દકુભાઈ, વિજયભાઈ કોગથીયા કા.ચેરમેન તાલુકા પંચાયત, ઈમરાનભાઈ પઠાણ, શાંતિભાઈ, રવજીભાઈ, જીગ્નેશભાઈ ડાભી, ઘનશ્‍યામભાઈ બારિયા,  વગેરે આગેવાનો અને કાર્યકર મિત્રો હજાર રહ્યા હતા. ધારાસભ્‍ય શ્રી -તાપભાઈ દુધાત દ્વારા ગામના વિકાસ માટે લીલીયા ના વેલનાથ મંદિર ના પટરાંગણ માં અલગ અલગ કામો માટે ૧૧.૫૦ લાખ રૂપિયા ના વિકાસ ના કામો માટે ગ્રાન્‍ટ ફાળવેલ છે જે પણ ટુક સમયમાં કામગીરી શરૂ થશે. (તસ્‍વીર-અહેવાલ : દિપક પાંધી, ઇકબાલ ગોરી, સાવરકુંડલા)

(1:19 pm IST)