Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

જામનગરમાં શ્રી એચ.જે.લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્‍ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્‍દ્ર લાલ) ફાઉન્‍ડેશન દ્વારા ગણપતિ મહોત્‍સવ આયોજકોનો સન્‍માન સમારોહ

તા.૧૮ને રવિવારે, સર્વમંગલ પાર્ટી પ્‍લોટ, ગાંધીનગર રોડ ખાતે યોજાશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૮ : જામનગર શહેર તથા સમગ્ર હાલાર વિસ્‍તારમાં અનેકવિધ સેવાકિય પ્રવળતિઓમાં કાર્યરત શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્‍ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્‍દ્ર લાલ) ફાઉન્‍ડેશનના સંયુકત ઉપક્રમે જામનગર શહેરના ગણપતિ મહોત્‍સવના આયોજકોનો સન્‍માન સમારોહ તા.૧૮ને રવિવારે સાંજે ૬-૦૦ કલાકે સર્વ મંગલ પાર્ટી પ્‍લોટ, ગાંધીનગર રોડ, બ્રુક બોન્‍ડ મેદાનની સામે યોજાશે.

સમગ્ર ભારતીય સંસ્‍કળતીમાં સર્વે માંગલીક કાર્યોનો પ્રારંભ જેના નામ અને સ્‍થાપનથી થાય છે તેવા દુંદાળા દેવ ગણપતિના મહાઉત્‍સવનો મંગલ પ્રારંભ વિક્રમ સવંત ૨૦૭૮ ભાદરવા સુદ ચતુર્થીના દિવસથી કરવામાં આવ્‍યો છે જેમાં જામનગરની ધર્મપ્રેમી જનતા દ્વારા ગણપતિ દાદાના આ મહોત્‍સવની ભારે ધામધુમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે આ ઉજવણી કરનારા તમામ ગણપતિ મંડળના સંચાલકો-પાંડાલોનું સન્‍માન કરવાનો કાર્યક્રમ છેલ્લા ૧૨ વર્ષથી કરવામાં આવે છે આ વર્ષે પણ શ્રી હરીદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્‍ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્‍દ્ર લાલ) ફાઉન્‍ડેશન દ્વારા રાખવામાં આવ્‍યો છે.

આ સન્‍માન સમારોહના કાર્યક્રમમાં જામનગરના તમામ ગણપતિ મંડળના આયોજકો - પાંડાલોના સંચાલકોએ સન્‍માન સમારોહમાં ભાગ લેવા માટે સંસ્‍થાનું ફોર્મ જે મંડોળોએ ભરેલ છે તેનો સન્‍માન સમારોહ યોજાશે અને કાર્યક્રમ પુર્ણ થયે પ્રસાદનું પણ આયોજન રાખેલ છે. ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી શ્રી જીતેન્‍દ્ર એચ. લાલ (જીતુ લાલ)ની યાદીમાં જણાવેલ છે.

(11:47 am IST)