Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

ધોરાજીઃ જામકંડોરણા હઝરત ગેબનશા બાવાનો ઉર્ષ

 ધોરાજીઃ જામકંડોરણાના ધોરાજી દરવાજા પાસે હઝરત ગેબનશા બાવાની દરગાહ શરીફ ખાતે ભવ્ય ઉર્ષ યોજાયો જેમાં ભવ્ય શોભાયાત્રા નિકળેલ હતી જે જામકંડોરણાના મુખ્ય બજારોમાં ફરેલ હતી અને જેમાં આ શોભાયાત્રાનું હિન્દુ અગ્રણીઓ દ્વારા આવકારી અંતે શોભાયાત્રામાં જોડાયા હતા અને રાત્રે વાઇઝનો કાર્યક્રમ રાખેલ હતો આ દરગાહ શરીફ ખાતે રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ કરેલ હતી. આ તકે ગેબનશાબાવા દરગાહ કમીટી દ્વારા કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાનું દરગાહ શરીફ ખાતે સન્માન કરેલ હતું. આ તકે સુલેમાન મચ્છીવાલા, વિઠ્ઠલભાઇ, જસમતભાઇ કોયાણી, ચંદુભા ચૌહાણ ગૌત્તમભાઇ વ્યાસ, જુમાભાઇ ખુરેશી, અને હનીફભાઇ મચ્છીવાળા (બાપુ) તેમજ વિશાળ સંખ્યામાં હિન્દુ-મુસ્લીમ સમાજના લોકો હાજર રહેલ હતા. અને કોમી એકતા દર્શન થયા હતા. (તસ્વીર-અહેવાલઃ ધર્મેન્દ્ર બાબરીયા-ધોરાજી) (૬.૧૪)

(12:18 pm IST)