Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

સુરેન્દ્રનગર કોરોના પોઝીટીવ ૬ દર્દીઓને રજા અપાઇ

સુરેન્દ્રનગરઃસુરેન્દ્રનગર મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારીની  યાદીમાં જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગરના અજયભાઈ, હિંમતલાલ કોઠારી , ધ્રાંગધ્રાના મરીયમબેન, પાટડીના પુષ્પાબેન પટેલ, અને લીંબડીના મહેરૂનબેન તેમજ રાજકોટ જિલ્લાના લોધીકાના વતની બાબુલાલ વાઘેલાને ગત દિવસોમાં કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સુરેન્દ્રનગર સ્થિત કોવિડ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.તેમની સઘન સારવાર બાદ આ છ દર્દીઓને તાવ,ઙ્ગશરદી,ઙ્ગખાંસી જેવા કોઇ લક્ષણો ન જણાતા તા. ૭ ના રોજ કોવિડ હોસ્પિટલમાંથી રજા અપાઇ છે.

(11:50 am IST)