Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

જામનગર જિલ્લા ભાજપની સંગઠન પર્વની બેઠક તેમજ કોંઝા મુકામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

જામનગર,તા.૮: જિલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા સંગઠન પર્વની અગત્યની બેઠક મળેલ. આ બેઠકમાં ભીખુભાઇ દલસાણીયાએ બુથદીઠ નવા પ્રાથિમક સભ્યો ઉમેરાય તથા દરેક બુથમાં ભાજપની આ બેઠકમાં મજબુત થાય અને ભાજપના સભ્યો બની ભાજપમાં જોડાય તે અંગે કાર્યકરોને માર્ગદર્શન આપેલ સાથો સાથ ભાજપની નિતી રાષ્ટ્રવાદ અને વિકાસની નિતી છે. ભાજપનું કામ એટલે રાષ્ટ્રવાદનું કામ -વિકાસનું કામ એમ સમજી સૌ કાર્યકરો કામ કરે તો રાષ્ટ્રની પ્રગતિમાં સહયોગ ગણાશે.

જિલ્લા ભાજપ અધ્યક્ષશ્રી ચંર્દ્રશભાઇ પટેલે સૌનું સ્વાગત કરી સદસ્ય વૃધ્ધિ અભિયાનમાં સૌ કાર્યકરો ખંતથી કામ કરે અને આપેલ લક્ષ્યાંક પૂર્ણ થાય તે માટે અપીલ કરેલ. સંગઠન પર્વના ઇન્ચાર્જ ડો.વિનોદ ભંડેરીએ સંચાલન કરેલ.આ બેઠકમાં જિલ્લા મહામંત્રી પ્રવિણસિંહ જાડેજા ,ચેતનભાઇ કડીવાર, પૂર્વ મંત્રી ચીમનભાઇ શાપરીયા, પ્રદેશ કિશાન મોરચાના મહામંત્રી રમેશભાઇ મુંગરા, જાડાના પૂર્વ ચેરમેન  દિલીપસિંહ ચુડાસમા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ડો.ેપી.બી.વસોયા, પૂર્વ ધારાસભ્યો મેઘજીભાઇ ચાવડા, બ્રિજરાજસિંહ જાડેજા, સંગઠન પર્વના સહ ઇન્ચાર્જ કરણસિંહ જાડેજા , રેખાબેન કગથરા સહિત જિલ્લાના હોદેદારો , જિલ્લા મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ મંડળના પ્રમુખ, મહામંત્રીઓ અને સંગઠન પર્વના ઇન્ચાર્જ સહ ઇર્ન્ચાજ તથા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલીકાના ચૂંટાયેલ સદસ્યો ઉપસ્થિત રહેલ.

સંગઠન પર્વના અનુસંધાને કોંઝા ગામે પ્રદેશ ભાજપ મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાની ઉપસ્થિતિમાં ૩૦૦ વૃક્ષોનું રોપણ કરવામાં આવેલ તથ હર્ષદપુર ગામે પણ વૃક્ષરોપણ કરવામાં આવેલ. આ કાર્યક્રમોમાં જિલ્લા ભાજપના ઉપરોકત આગેવાનો તથા જામનગર તાલુકા ભાજપના પ્રમુખ મુકુંદભાઇ સભાયા , મહામંત્રી કુમારપાલસિંહ રાણા, કેશુભાઇ તાળા, લખમણભાઇ ખુંટી, વિપુલભાઇ સહિતના આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહેલ. ભીખુભાઇ દલસાણીયાએ વૃક્ષારોપણનું આટલા મોટા પ્રમાણમાં આયોજન કરવા બદલ કાર્યકરોને અભિનંદન આપેલ.

(11:54 am IST)