Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

જામનગરમાં ગઢની રાંગ તોડીને દબાણ હટાવશે તંત્ર :ઉચ્ચ અધિકારીઓએ કર્યું સ્થળ નિરીક્ષણ

જામનગર :શહેરના કાલાવડ નાકા પાસે ગઢની રાંગ તોડી નદીમાં કરાયેલા દબાણના નિરીક્ષણ માટે આજે જામનગરના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા.નદીના વહેણને રોકી કરવામાં આવેલા દબાણને આગામી દિવસોમાં કઈ રીતે દૂર કરી શકાશે. તેનું કલેકટર,પોલીસ વડા અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓએ નિરીક્ષણ કર્યું હતું

   અત્રે ઉલ્લેખનીય છે કે નદીમાં દબાણ મામલે જામનગર મહાનગરપાલિકાએ થોડા દિવસો પહેલા દબાણકર્તા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જો કે નદીમાં કરાયેલા દબાણને આગામી દિવસોમાં દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામા આવશે.

(9:22 pm IST)