Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

બગસરાના મોટા મુંજીયાસર પાસે એસ.ટી. બસમાં આગ લાગતા દોડધામ

મુસાફરોનો બચાવઃ ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઇ

બગસરા તા.૮: આજે સવારે સાડા નવ વાગ્યાની આસપાીના બગસરા નજીક આવેલા મોટા મુંજીયાસર ગામ પાસે જેતપુર તરફથી  અમરેલી તરફ જઇ રહેલી એસટી બસ ધોરાજી અમરેલીમાં અચાનક શોર્ટસર્કિટથી બસમાં ધુમાડાના ગોટેગોટા દેખાવા લાગ્યા હતા. મુસાફરો તથા બસના ફરજ પરના કર્મચારીઓની તકેદારીને લીધે મુસાફરી કરી રહેલા મુસાફરોને તાત્કાલિક બસમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા જેથી કોઇ પણ મુસાફરને ઇજા થયેલ નથી.

આ ઉપરાંત બસમાં મુસાફરો પાસે રહેલ પાણીની બોટલનો ઉપયોગ કરી આગ વધુ તાકાત મળે તે પુર્વે તેને માટેના પ્રયત્નો દ્વારા તેને કાબુ કરવામાં સફળતા મળી હતી. જોકે આ ઘટનાને પગલે બગસરાની ફાયર ફાઇટરની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી. પરંતુ આ સમગ્ર બનાવ દરમિયાન બસમાં રહેલા આગ ઓલાવવા માટેના સાધનો પૈકીના એક સાધન સમયે જ કામ ન કરતા મુસાફરોમાં એસટીતંત્રની બેદરકારી પ્રત્યે રોષ જાગ્યો હતો.

એસ.ટી. ના ડ્રાઇવર-કંડકટરની સજાગતાને કારણે કોઇપણ મોટી ઘટના બને તે પૂર્વે પરિસ્થિતિ પર કાબુ મેળવતા અકસ્માતની ઘટના બનતા અટકી હતી.

(3:59 pm IST)