Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

દ્વારકામાં પરપ્રાંતિય આધેડ સાધુની બે સાધુ શખ્સોએ ઓરડી ખાલી કરવા બાબતે લોથ ઢાળી

ખંભાળીયા તા. ૮ : દ્વારકાના એક મંદિરની બાજુમાં રહેતા મુળ બિહારના વિપ્ર આધેડ સાધુને આ જ વિસ્તારના મંદિર પાસે રહેતા બે સાધુ શખ્સોએ ઓરડી ખાલી કરવાના મુદે બોલાચાલી કર્યા બાદ કરપીણ હત્યા નિપજાવ્યાનો બનાવ બહાર આવ્યો છે.

વિગત મુજબ રૂપેણ બંદર વિસ્તારમાં આવેલા ભાગીરીથી મંદિરની બાજુમાંં આવેલી એક ઓરડીમાં રહેતા મુળ બીહાર રાજયના દરભંગા જીલ્લાના રહેવાસી અરૂણકુમાર હરીકુમાર ઝા નામના આશરે પ૦ વર્ષના બ્રાહ્મણ આધેડનો આ જ વિસ્તારમાંથી લોહીથી લથબથ નિષ્પ્રાણ દેહ ગઇકાલે મંગળવારે સાંપડયો હતો.

આ વિપ્ર સાધુ અરૂણકુમાર ઝા જે ઓરડીમાં રહેતા હતા તે ઓરડી ખાલી કરીને બીજી જગ્યાએ રહેવા ચાલ્યા જવા બાબતે આ સ્થળે રહેતા અને હાલમાં સાધુ તરીકે જીવન ગુજારતા પંકજસીંગ પ્રસાદસીંગ કે જેઓ હાલ પંકજગીરી સમુદ્રગીરી મહારાજ (ઉ.૬૦) રાજપુત તરીકે ઓળખાય છે.અને કમલેશભઇ માનસી સોલંકી કે જે હાલમાં કમલેશગીરી ગુરૂ દિગમ્બર પંકજગીરી મહારાજ (ઉ.રર) નામના બે સાધુ શખ્સે સાથે અવાર-નવાર બોલાચાલી થઇ હતી.

આ પરિસ્થિતિમાં સોમવારે રાત્રીના કોઇપણ સમયે ઉપરોકત બન્ને સાધુ શખ્સોએ અરૂણકુમર ઝા સાથે બોલાચાલી કરી બોથડ પદાર્થ વડે ઘાતક હુમલો કરતા તેમનું લોહી-લોહાણ હાલતમાં ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયૂં હતું.

આ સમગ્ર બનાવ અંગે મૃતક આધેડના કૌટુંબીક ભત્રીજી રાધાબેન સુનિલકુમાર ઝા (ઉ.૩ર) ની ફરીયાદ પરથી દ્વારકા પોલીસે બન્ને સાધુ શખ્સો સામે આઇ.પી.સી.કલમ ૩૦ર, ૧૧૪ તથા જી.પી.એકટની કલમ હેઠળ ગુનો નોંધી બન્ને શખ્સોની અટકાયત કરી હતી નિર્મમ હત્યાના આ બનાવે દ્વારકા પંથકમાં ચકચાર જગાવી છ.

(11:54 am IST)