Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

સાવરકુંડલાના અભરાપરા ગામમાં ૪ સિંહો ઘુસી ગયાઃ પશુઓનું મારણઃ સીમમાં જઇને શિકારની મિજબાની માણી આરામ ફરમાવ્યો

અમરેલીઃ સાવરકુંડલા તાલુકાના અભરાપરા ગામમાં અેક સાથે ૪ સિંહો આવી ચડતા ગામ લોકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો. આ સિંહોઅે પશુઓનું મારણ કરીને મિજબાની માણી આરામ ફરમાવ્યો હતો.

મોડી રાતે સિંહોએ ગામમાં ઘુસીને પશુનું મારણ કર્યું હતું અને બાદમાં અભરામપરા ગામની સીમમાં જ શિકારની મિજબાની માણી અને આરામ ફરમાવ્યો હતો..
ઉલ્લેખનીય છે કે, સિંહો વારંવાર આ રીતે સીમમાં આવતા હોય છે, ખાસ કરીને આ સમયગાળો ઉનાળાનો હોય છે પરંતુ વરસાદની મોસમમાં આ રીતે સિંહો અચાનક ગામમાં આવી પહોંચતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ગીર અભ્યારણ્ય અમરેલી પંથક સુધી વિસ્તરેલુ હોવાથી સિંહની લટાર વારંવાર જોવા મળે છે.
ત્યારે ગત મોડી રાતે પણ સાવરકુંડલાના અભરાપરા ગામની સીમમાં 4 સિંહ લટાર મારવા આવી પહોંચતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ સાથે જ ગામડામાં ઘરની બહાર બાંધેલ પશુઓનું મારણ સિંહે કર્યું હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઇ હતી.

 

(6:45 pm IST)