-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
પાલીતાણાના ગુન્હાનો વોન્ટેડ આરોપી રફીક પઠાણને ભાવનગર એલસીબીએ ઝડપી લીધો
પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી રફીક પઠાણને લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર દ્વારા ઝડપી લેવાયો છે
ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.એસ.એન.બારોટ તથા પો.સબ ઇન્સ.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ ને પકડી પાડવા તેમજ ચોરીના શકદારોને ની તપાસ કરવા માટે માટે સખત સુચના આપેલ.
આ સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તાઠરમાં નાસ્તા ફરતા આરોપીઓ ની તેમજ ચોરીના શકદારોની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાવન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં હેડ કોન્સ જીતેન્દ્રસિંહ ઝાલા તથા રાજપાલસિંહ સરવૈયાને સયુંકત બાતમીમળેલ કે, પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનના ઇ.પી.કો. ૩૨૭ ,૩૪૨, ૧૪૩, વિગેરેના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી રફીક હુસેન પઠાણ (રહે. પાલીતાણા) પાલીતાણા મેઇન બજાર જુમ્મા મસ્જીદ પાસે ઉભો છે.
હકિકત મળતા તુરતજ પાલીતાણા જુમ્મા મસ્જીદ પાસે જતા મજકરુ બાતમી વાળો ઇસમ હાજર મળી આવતા મજકુર ઇસમને પકડી નામ સરનામું રફીકભાઇ હુસેનભાઇ પઠાણ (ઉવ.૩૩) ( રહે. પાલીતાણા ૫૦ વારીયા કોર્ટ પાછળ જી.ભાવનગર ) હોવાનું જણાવતા મજકુર ઇસમની પુછપરછ કરતા ઉપરોકત ગુન્હામાં નાસ્તા ફરતા હોવાની કબુલાત કરતા મજકુરને સી.આર.પી.સી. ૪૧(૧) આઇ મુજબ ઘોરણસર કાર્યવાહી કરી પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં માં નોઘ કરાવી આગળની કાર્યવાહી માટે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફ.ગુર.ન. ૯૩/૨૦૧૮ ઇ.પી.કો.- ૩૨૭ ,૩૪૨,૧૪૩,વિગેરે મુજબનો ગુન્હો નોઘાયેલ હોય આગળની તપાસ થવા સારૂ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.
આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એન.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડકોન્સ રાજપાલસિંહ સરવૈયા તથા જીતેન્દ્રસિંહ ઝાલા તથા કલ્યાણસિંહ જાડેજા પો.કો. શકિતસિંહ સરવૈયા તથા દિલીપભાઇ ખાચર તથા ડ્રા.મહેશભાઇ ભેડા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.