Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

જુનાગઢ-કોર્પોરેશનની ચૂંટણીનું કાલે ચિત્ર સ્પષ્ટ : ભાજપ અને એનસીપીના ઉમેદવારોના ફોર્મ રદ

બેથી વધુ સંતાન હોવાથી ફોર્મ રદ્દ કરતું તંત્ર

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૮ : આગામી તા. ર૧ જુલાઇના રોજ જુનાગઢ કોર્પોરેશનની ચૂંટણી યોજાનાર છે ત્યારે આજે ઉમેદવારીપત્રોની ચકાસણી થઇ  રહી છે. જયારે કાલે તા. ૯ના રોજ ઉમેદવારી પત્રક પરત ખેંચી શકાશે. જેથી કાલે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે.જૂનાગઢ મનપાની ચૂંટણી માટે ભરાયેલા ઉમેદવારી પત્રોની સવારે ચકાસણી હાથ ધરવામાં આવી છે. જેમાં ભાજપ અને એનસીપીના ઉમેદવારનું ફોર્મ રદ થયું હોવાનું જાણવા મળેલ છે. વોર્ડ નં.૩માંથી ભાજપના ઉમેદવાર મુમતાજ બેન હારૂભાઇ શમાએ અને આજ પ્રમાણે વોર્ડ નં.૧માંથી એનસીપીના અરવિંદભાઇ ચાવડાએ ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ આ બંને ઉમેદવારોને બેથી વધુ સંતાન હોય તેથી બંનેના ઉમેદવારીપત્રો રદ્દ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

(4:05 pm IST)