Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

જામનગરમાં દિપેશ નકુમ પ વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાતા આપઘાત : મૃતદેહ સ્વીકારવા ઇન્કાર

સતવારા સમાજના લોકોમાં ભારે આક્રોશ : સ્યુસાઇડ નોટના આધારે પગલા ભરવા માંગણી

જામનગર : તસ્વીરમાં સતવારા સમાજના લોકો એકત્ર થઇ ગયા હતા. તે નજરે પડે છે. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(મકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૬ :  અહીં મહાપ્રભુજીની બેઠક પાસે ગાયત્રીનગર શેરી નં. ૧માં રહેતી ગીતાબેન દિપેશભાઇ નકુમ (ઉ.વ.૭ર) એ પોલીસમાં જાહેર કરેલ છે કે, તા. ૭ ના રોજ કામે મરણ જનાર તેણીનો પતિ દિપેશભાઇ વાલજીભાઇ નકુમ (ઉ.વ.૩પા એ પોતાના ઘરે પંખામાં સાડી વડે ગળે ફાંસો ખાઇ મરણ ગયેલ. છે.

પ્રાપ્ત માહિતી મુજબ જામનગરમાં વધુ એક વ્યકિતએ વ્યાજખોરના ત્રાસથી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.૩૫ વર્ષીય યુવક દીપેશ નકુમે પોતાના દ્યરે જ ગળાફાંસો ખાઈ લીધો છે.ઉલ્લેખનીય છે કે પાંચ જેટલા વ્યાજખોરની ચુંગાલ ફસાયેલા દીપેશભાઈ રોજના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી છે.

યુવકે આત્મહત્યા કરી લેતા મૃતદેહ હોસ્પિટલ લવાયો છે અહીં પીએમ કરવામાં આવ્યું છે.મોટી સંખ્યામાં સતવારા સમાજના લોકો એકઠા થઇ ગયા છે અને મૃતકની બોડી સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે.મૃતક દીપેશભાઈના પરિજનોની માંગ છે કે જયાં સુધી વ્યાજખોરની ઝડપી લેવામાં નહિ આવે ત્યાં સુધી બોડી નહી લેવાઈ.મૃતક યુવકે સુસાઇડ નોટ પણ લખી છે એને એમાં પાંચ જેટલા વ્યાજખોરના નામ પણ લખ્યા છે.

(3:55 pm IST)