Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

ચોટીલાના કુંઢડાના વિર શહિદ પરિવારને તાલુકા શિક્ષક સંઘ દ્વારા એક લાખની સહાય

ચોટીલા તા.૮ : ચોટીલા તાલુકાનાં કુંધડાગામના ખેડુત પરિવારનો ફોજમાં ગયેલ એકના એક પુત્ર ફરજ દરમિયાન આકસ્મિક દ્યટનમાં શહીદ થતા શહીદ પરિવાર ને ચોટીલા તાલુકા શિક્ષક સંઘ દ્વારા શ્રદ્ઘાંજલિ સાથેઙ્ગ ૧લાખ ૧ હજારનો  ચેક અર્પણ કરી સહાનુભુતિ જાતાવેલ છે

શુક્રવારના કુંઢડા પ્રાથમિક શાળા ખાતે વીર શહીદ ભાવેશ રાઠોડને સુરેન્દ્રનગર જિલ્લા પ્રા.શિક્ષક સંઘના સંગઠન મંત્રી દીપેન્દ્રભાઈ ધાધલ,ચોટીલા સંઘ પ્રમુખ દ્યનશ્યામભાઈ મેણીયા, મંત્રી સામતભાઈ પરમાર સાથે તાલુકાના તમામ કારોબારી સદસ્ય અને તમામ પે સેન્ટરના આચાર્યો સાથે શિક્ષકો એ કુંઢડા પ્રા.શાળામાં વીર જવાનનો શ્રદ્ઘાંજલિ કાર્યક્રમ રાખેલ હતો.

ઉપસ્થિત સર્વ એ શહીદની સહાદતની આ પંથકમાં પ્રથમ ઘટના છે તેમાં ૪ બહેન નો એકનો એક ભાઈ અને માત પિતાનો એકજ આધારસ્તભ દેશ માટે વીરગતિ પામેલ છે જેને મૌન પાળી શ્રદ્ઘાસુમન પાઠવેલ હતું અને તાલુકા પ્રા.શાળા શિક્ષક સંદ્ય તરફથી ૧.લાખ ૧ હજારની સહાયની રકમ પરિવારને અર્પણ કરી સહાનુભુતિ દાખવેલ હતી.

(12:13 pm IST)