Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

મોરબી એનએસયુઆઇ દ્વારા ધરણા

મોરબીની એલ ઈ કોલેજના હોસ્ટેલના વિદ્યાર્થીઓ અને આસી રેકટર વચ્ચે થયેલી બબાલ બાદ મામલો હજુ થાળે પડ્યો નથી આજે એનએસયુઆઈ દ્વારા એલ ઈ કોલેજ ખાતે ધરણા કરીને આસી રેકટરને હટાવવા માંગ કરી હતી. એનએસયુઆઈના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાની આગેવાની હેઠળ આજે કાર્યકરોએ એલ ઈ કોલેજ ખાતે ધરણા કર્યા હતા થોડા દિવસો પૂર્વે કોલેજની હોસ્ટેલના વિદ્યાર્થીઓને રહેવા દેવા મામલે આસી રેકટર સાથે બોલાચાલી થઇ હતી અને બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો જેથી મામલો ગરમાયો હતો અને સમગ્ર મામલો શાંત થવાને બદલે ઉગ્ર બની રહ્યો છે આજે એનએસયુઆઈ આગેવાનોએ એલ ઈ કોલેજ ખાતે ધરણા કરીને હોસ્ટેલના આસી. રેકટરને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી કોલેજમાં આંદોલનને પગલે પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસે સતર્કતા દાખવી હતી જોકે હાલ કોલેજના પ્રિન્સીપાલ મેડીકલ લીવ પર હોય જેથી એનએસયુઆઈની માંગ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી અને પ્રિન્સીપાલ મેડીકલ લીવ પરથી પરત ડ્યુટી પર ફરે ત્યારે આ બાબતે નિર્ણય કરવામાં આવી સકે છે તેવી માહિતી કોલેજ સુત્રોમાંથી પ્રાપ્ત થઇ છે.

(12:09 pm IST)