Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

જામકંડોરણામાં અષાઢીબીજની ભવ્ય રથયાત્રા

  જામકંડોરણામાં સનાતન ધર્મ યુવક મંડળ દ્વારા આયોજીત ભગવાન રામદેવજીની રથયાત્રા વાજતે ગાજતે નીકળી હતી. આ રથયાત્રાને રાજકોટ જીલ્લા દુધ સંઘના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયાના હસ્તે પ્રસ્થાન કરવામાં આવેલ. આ તકે જામકંડોરણા માર્કેટ યાર્ડના ચેરમેન વિઠલભાઇ બોદર, સરપંચ જશમતભાઇ કોયાણી, ભાજપ પ્રમુખ ચંદુભા ચોૈહાણ, સહિતના ઉપસ્થિત રહયા હતા. આ રથ યાત્રા બપોરના ૩.૦૦ કલાકે શ્રી રામજી મંદિરથી શરૂ થઇ પટેલ ચોક, ડંકી ચોક, ભાદરા નાકા, બસ સ્ટેશન થઇ પટેલ ચોકમાં પૂર્ણ થઇ હતી. રથયાત્રામાં મુખ્ય રથમાં ભગવાન રામદેવજીની પ્રતિમા તેમજ સનાતન ધર્મના ગુરૂ રમેશબાપુ દાણીધારીયા તથા પ્રવિણબાપુ દાણીધારીયા બિરાજમાન હતા. આ રથયાત્રામાં વિવિધ યુવક મંડળો દ્વારા આકર્ષક ફલોટ રજુ કરવામાં આવેલ, રથયાત્રામાં રાજકીય, સામાજીક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને રામદેવજીના જયઘોષ સાથે વિશાળ રથયાત્રા નીકળી હતી, તેમજ રાત્રે પટોત્સવ તથા સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો. (તસ્વીર-અહેવાલ મનસુખભાઇ સી. બાલધા)

(12:03 pm IST)