Gujarati News

Gujarati News

News of Sunday, 8th July 2018

સુરેન્દ્રનગરમાં આખલાએ પ્રોઢનો ભોગ લીધો

વઢવાણઃ સુરેન્દ્રનગરમાં સૌજન્ય પાર્કમાં રહેતાં નિવૃત તલાટી પ્રવિણભાઇ ડગલીનું ભૂરાયા આખલાની  હડફેટ મૃત્યું નિપજયું હતું. તેઓ પૌત્રને બપોરે મંદિરેથી લઇને આવતાં હતા એ સમયે રસ્તા પર આખલાએ પહેલા તેમને ઢીંક મારી પછાડી દીધા હતાં. એ પછી તેમના ઉપર પગ મૂકતા પ્રવીણભાઇની પાસળીઓ બહાર નીકળી ગઇ હતી. તત્કાળ તેમને અમદાવાદ લઇ જવાયા હતા. પરંતુ સારવાર કારગાત નિવડી ન હતી.

(12:36 pm IST)