Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

પોરબંદર સાંદીપનિ વિદ્યા નિકેતનમાં વૃક્ષારોપણ

જુનાગઢ : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પોરબંદરની સામાજીક સંસ્થાઓના સદસ્યો અને સાંદીપનિના ગુરુજનોની ઉપસ્થિતિમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા શાસ્ત્રોકત વિધિથી ભૂમિપૂજન અને સંકલ્પપૂર્વક વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને એ સાથે જ ગો-ગ્રીન પોરબંદર અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે અભિયાન અંતર્ગત પોરબંદરની સામાજીક સંસ્થાઓના સહયોગથી પોરબંદર વિસ્તારમાં ૩૦૦૦થી વધુ વૃક્ષારોપણ કરવામાં આવશે જેનો પ્રારંભ સાંદીપનિ વિદ્યાનિકેતનથી કરવામાં આવ્યો.

(1:17 pm IST)