Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

ભાવનગર શિશુ વિહારના સ્થાપક માનભાઇ ભટ્ટ જીવનને તાદ્રશ્ય કરતી બાલભરતી પ્રકાશન સંસ્થા

ભાવનગર શિશુવિહાર સંસ્થાના સ્થાપક માનભાઈ ભટ્ટને તાદ્રશ્ય કરતી બાલભારતી પ્રકાશન સંસ્થા રાષ્ટ્રીય જીવનના પ્રેરણાદાયી ચરિત્રોને નવી પેઢી પાસે સંક્ષિપ્ત જીવનચરિત્ર તરીકે મૂકવાના બાલભારતી ટ્રસ્ટના ૧૬૩માં મણકા તરીકે લોકસેવક માનભાઈ ભટ્ટની જીવની પ્રકાશિત કરવામાં આવી છે શ્રી જીતેન્દ્રભાઈ શાહ લિખિત પુસ્તિકાનું વિમોચન અમદાવાદમાં મળેલી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વાર્ષિક શિક્ષા વર્ગમાં થયું. પ્રથમ ગુજરાતીમાં અને ત્યારબાદ દેશની વિવિધ ભાષાઓમાં ગુજરાતના પ્રેરણાદાયી લોક સેવકોને પ્રસ્તુત કરવા માટે બાલભારતી ટ્રસ્ટ અને લેખક શ્રી જીતુભાઈ દ્વારા માનભાઈ ભટ્ટના જીવન કવનને તાદ્રશ્ય કરાવતી બાલભારતી પુસ્તિકામાં માનભાઈ ભટ્ટ સંક્ષીપ્ત જીવન ચરિત્ર સમસ્ત માનવ સમાજ અને વિદ્યાર્થી ઓ માટે દીવાદાંડી રૂપ બને મહામાનવ માનભાઈ ભટ્ટનું જીવન જાહેર જીવન માટે પથદર્શક બને અનેકો સદ્દગુણોના પર્યાપ્ત માનભાઈ ભટ્ટના જીવનનો એક પણ ગુણ સમગ્ર જીવનને ધન્ય બનાવી દે તેવા માનભાઈ ભટ્ટના જીવન વિશે લેખક અને પ્રકાશન સંસ્થાનો  સૌરાષ્ટ્ર વાસીઓ આભાર વ્યકત કરેલ.

(11:28 am IST)